Friday, 30 July 2021

માપનપધ્ધતિઓના પ્રકાર

 

માપપધ્ધતિ

      અર્થ :

                  વસ્તુ કે ઘટનાના ઓળખ ,ક્રમ, કે માપ દર્શાવવા અંકોની જે  શ્રેણી વપરાય છે તેને માપપધ્ધતિ કહે છે.

માપપધ્ધતિઓના  પ્રકાર :

1. ઓળખઅંક માપપધ્ધતિ 
2. ક્રમાંક  માપપધ્ધતિ
3.  અંતર અંક માપપધ્ધતિ 
4.  ગુણોત્તર માપપધ્ધતિ 

1. ઓળખઅંક :

  •  જયારે  ઓળખવાના હેતુથી  વ્યક્તિ કે વસ્તુ ને અંકો આપવામાં આવે ત્યારે તે અંકને ઓળખ અંક કહે છે.
  • આ અંકો  દ્વારા વ્યક્તિ કે વસ્તુની ઓળખ થઈ શકે છે.
  •   આવા અંકો ગમે તે રીતે બને તથા ગમે ત્યાંથી શરૂ કરીને આપી શકાય છે. 
  • આ અંકો  પર કોઈ  પણ જાતની બૈજિક કે ગાણિતિક પ્રક્રિયા થઇ શકતી નથી.
  • આ અંકપધ્ધતિ સાથે જોડાયેલું  માપ બહુલક ગણી શકાય .

  • ઉદાહરણ :
   -  બસનો  રુટ  નંબર 
   - ક્રિકેટ માં ખેલાડીને અપાતા નંબર 

2. ક્રમાંક માપપધ્ધતિ

  • આ માપપધ્ધતિ માં અંકોના ક્રમનું મહત્વ છે ,તેથી ક્રમ  અનુસાર તેના સ્થાન અંગે સરખામણી કરી શકાય .
  • આ માપપધ્ધતિમાં ક્રમાંકો પર કોઈ પણ બૈજિક પ્રક્રિયા થઈ  શકતી નથી.
  •  આ માપપધ્ધતિ સાથે  જોડાયેલું માપ મધ્યસ્થ છે.

    ઉદાહરણ :
     -  સ્પર્ધામાં અપાતો ક્રમ 
     -  પરીક્ષા માં  પ્રાપ્ત કરેલ ગુણને આધારે                      અપાતા ક્રમાંક. 

3. અંતર અંક  માપપધ્ધતિ

  •    દરેક  એકમ વચ્ચે  સરખું અંતર રહે તે રીતે  અંક આપવામાં આવે  છે , આવી માપપધ્ધતિને અંતર અંક માપપધ્ધતિ કહે છે .
  •  આ પધ્ધતિમાં અંતર- અંકોના  સરવાળા - બાદબાકી  થઈ  શકે છે.ગુણાકાર - ભાગાકાર થઈ શકતા નથી.
  • આ પધ્ધતિ  શિક્ષણમાં અને ખાસ કરીને મૂલ્યાંકનમાં  ઉપયોગી બને  છે.
  •  આ માપ સાથે જોડાયેલું માપ મધ્યક છે.

   ઉદાહરણ :
  - બુદ્ધિ કસોટીમાં  અપાતા વય પ્રાપ્તાંકો
  - પ્રમાણભૂત પ્રાપ્તાંકો

4. ગુણોત્તર  માપપધ્ધતિ

  •   માપને સમાન એકમોમાં દર્શાવવામાં આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં આવે ત્યારે તે ગુણોત્તર અંક માપપધ્ધતિ બને છે.
  •   આ પધ્ધતિમાં સરવાળા,  બાદબાકી,  ગુણાકાર, ભાગાકાર  જેવી  પ્રક્રિયાઓ થઈ  શકે  છે. 
  •   ભૌતિક  વિજ્ઞાનમાં ગુણોત્તર  અંક માપપધ્ધતિ વપરાય  છે.
  •  સૌથી  વધુ  ચોકસાઈથી માપન થઇ  શકે છે.


No comments:

Post a Comment