Friday, 30 July 2021

માપનપધ્ધતિઓના પ્રકાર

 

માપપધ્ધતિ

      અર્થ :

                  વસ્તુ કે ઘટનાના ઓળખ ,ક્રમ, કે માપ દર્શાવવા અંકોની જે  શ્રેણી વપરાય છે તેને માપપધ્ધતિ કહે છે.

માપપધ્ધતિઓના  પ્રકાર :

1. ઓળખઅંક માપપધ્ધતિ 
2. ક્રમાંક  માપપધ્ધતિ
3.  અંતર અંક માપપધ્ધતિ 
4.  ગુણોત્તર માપપધ્ધતિ 

1. ઓળખઅંક :

  •  જયારે  ઓળખવાના હેતુથી  વ્યક્તિ કે વસ્તુ ને અંકો આપવામાં આવે ત્યારે તે અંકને ઓળખ અંક કહે છે.
  • આ અંકો  દ્વારા વ્યક્તિ કે વસ્તુની ઓળખ થઈ શકે છે.
  •   આવા અંકો ગમે તે રીતે બને તથા ગમે ત્યાંથી શરૂ કરીને આપી શકાય છે. 
  • આ અંકો  પર કોઈ  પણ જાતની બૈજિક કે ગાણિતિક પ્રક્રિયા થઇ શકતી નથી.
  • આ અંકપધ્ધતિ સાથે જોડાયેલું  માપ બહુલક ગણી શકાય .

  • ઉદાહરણ :
   -  બસનો  રુટ  નંબર 
   - ક્રિકેટ માં ખેલાડીને અપાતા નંબર 

2. ક્રમાંક માપપધ્ધતિ

  • આ માપપધ્ધતિ માં અંકોના ક્રમનું મહત્વ છે ,તેથી ક્રમ  અનુસાર તેના સ્થાન અંગે સરખામણી કરી શકાય .
  • આ માપપધ્ધતિમાં ક્રમાંકો પર કોઈ પણ બૈજિક પ્રક્રિયા થઈ  શકતી નથી.
  •  આ માપપધ્ધતિ સાથે  જોડાયેલું માપ મધ્યસ્થ છે.

    ઉદાહરણ :
     -  સ્પર્ધામાં અપાતો ક્રમ 
     -  પરીક્ષા માં  પ્રાપ્ત કરેલ ગુણને આધારે                      અપાતા ક્રમાંક. 

3. અંતર અંક  માપપધ્ધતિ

  •    દરેક  એકમ વચ્ચે  સરખું અંતર રહે તે રીતે  અંક આપવામાં આવે  છે , આવી માપપધ્ધતિને અંતર અંક માપપધ્ધતિ કહે છે .
  •  આ પધ્ધતિમાં અંતર- અંકોના  સરવાળા - બાદબાકી  થઈ  શકે છે.ગુણાકાર - ભાગાકાર થઈ શકતા નથી.
  • આ પધ્ધતિ  શિક્ષણમાં અને ખાસ કરીને મૂલ્યાંકનમાં  ઉપયોગી બને  છે.
  •  આ માપ સાથે જોડાયેલું માપ મધ્યક છે.

   ઉદાહરણ :
  - બુદ્ધિ કસોટીમાં  અપાતા વય પ્રાપ્તાંકો
  - પ્રમાણભૂત પ્રાપ્તાંકો

4. ગુણોત્તર  માપપધ્ધતિ

  •   માપને સમાન એકમોમાં દર્શાવવામાં આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં આવે ત્યારે તે ગુણોત્તર અંક માપપધ્ધતિ બને છે.
  •   આ પધ્ધતિમાં સરવાળા,  બાદબાકી,  ગુણાકાર, ભાગાકાર  જેવી  પ્રક્રિયાઓ થઈ  શકે  છે. 
  •   ભૌતિક  વિજ્ઞાનમાં ગુણોત્તર  અંક માપપધ્ધતિ વપરાય  છે.
  •  સૌથી  વધુ  ચોકસાઈથી માપન થઇ  શકે છે.


Monday, 26 July 2021

નવીનતાને ન ઠુકરાવો

                આપણે શ્ર્વાસ લઇને છોડી દઇએ છીએ,એક વાર લીધેલો શ્ર્વાસ ફરીથી નથી લેતાં. પ્રત્યેક પળે આપણે નવો શ્ર્વાસ લઇએ છીએ, છતાં આપણે નવીનતાને સતત શંકાથી જોઈએ છીએ. ચીનમાં એક કહેવત છે કે એક નદીમાં બે વાર નથી નાહી શકાતું .આ કહેવત ન સમજી શકનાર માણસ તરત બોલી ઉઠે, આવું તો કંઈ હોતું હશે,હું તમને નાહીને બતાવું. ત્યારે આપણે તેમને કહેવું પડે કે ભાઇ તમે જે પાણીમાં નાહ્યા એ પાણી તો ક્યારનું પ્રવાહમાં આગળ ધપી ગયું. ફરીથી જે પાણીથી નહાશો તે પાણી તો આગળથી આવેલું હશે, અલગ હશે. એટલે જ એક નદીમાં બે વાર નથી નાહી શકાતું. 

                    નવીનતાને  એક તક સમજો નવીનતાથી કંઈ  નવું  જાણવા  મળશે નવા અનુભવો  પ્રાપ્ત  થશે.